Pages

Search This Website

Monday, January 9, 2023

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022 વિકાસ શિષ્યવૃતિ યોજના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧ લાખની શિષ્યવૃતિ મેળવવાની તક

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022: આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે. ધોરણ ૮ માટે શિષ્યવૃતિ યોજના માહિતી


વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022 વિશેષતાઓ

  • વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
  • દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.
  • અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
  • [ માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે. ]
  • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
  • [ ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-. ]


વિકાસ શિષ્યવૃતિ યોજના અગત્યની તારીખો

રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ૨૦ જાન્યુઆરી ૨૦૨૩
ચયન પરીક્ષા૨૨ જાન્યુઆરી ૨૦૨૩

વિકાસ શિષ્યવૃતિ યોજના અગત્યની લીંક

વિકાસ શિષ્યવૃતિ યોજના લાયકાત ધોરણોઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના અરજી પ્રક્રિયાઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના રજીસ્ટ્રેશન લીંકઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના પરીક્ષા કેન્દ્રોઅહિં ક્લીક કરો


વિકાસ શિષ્યવૃતિ યોજના જરુરી આધાર પૂરાવા

  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો પુરાવો: આવક પ્રમાણપત્ર (તહસીલદાર/ મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/ તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/ કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.

અરજી પ્રક્રિયા

  • અરજદારે PRL VIKAS ની ઓફીસીયલ શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
  • નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::
  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો પુરાવો:
  • આવકનુ પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. આવકના પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • જો આવા પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો નો ઉલ્લેખ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
  • જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.
  • ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]

વિકાસ શિષ્યવૃતિ યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

વિક્રમ સારાભાઇ શિષ્યવૃત્તિ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ યોજના ની છેલ્લી તારીખ 20 January 2023 છે.

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 8 બાળકો ને કેટલી રકમ મળે છે?

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે: ચાર વર્ષના સમયગાળામાં 1,00,000/-(એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 10 બાળકો ને કેટલી રકમ મળે છે?

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે: બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન 30,000/- અને ધોરણ 12 દરમિયાન 30,000/- હશે

No comments:

Post a Comment